ગુર્જરરત્ન બીરેન કોઠારી
ગુજરાતની અસ્મિતાને ખરા અર્થમાં સાકાર કરતા વિશિષ્ટ ગુજરાતીઓની મુલાકાત પર આધારિત, તેમની મંઝિલ અને ત્યાં પહોંચવાની સફરનો માર્ગ દર્શાવતાં શબ્દચિત્રો. તેમાં સામેલ 'અ'થી 'હ' ની યાદીમાં અજિત મર્ચન્ટ (જગજિતસિંઘને પહેલી તક આપનાર, 'તારી આંખનો અફીણી'ના ગુજરાતી સંગીતકાર), અશ્વિની ભટ્ટ (દંતકથાસમ નવલકથાકાર)થી હરીશ રઘુવંશી (ફિલ્મ સંગીતના દસ્તાવેજીકરણના મહારથી) તથા હોમાય વ્યારાવાલા (ભારતનાં પહેલાં મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર) સુધીનાં નામ છેેે પુસ્તકમાં સમાવિષ્ટ અન્ય વ્યક્તિત્વોઃ ઉપેન્દ્ર ત્રિવેદી, કે.કે.(કૃષ્ણકાન્ત), ખલીલ ધનતેજવી, ઘનશ્યામ શાહ, ઘેલુભાઈ નાયક, ચંદુભાઈ મહેરિયા, જ્યોતિ ભટ્ટ, જ્યોત્સ્ના ભટ્ટ, તારક મહેતા, ધીરુભાઈ શેઠ, નવનીતલાલ શાહ, પૂર્ણિમાબહેન પકવાસા, પ્રકાશ ન. શાહ, પ્રકાશ વેગડ, પ્રાણલાલ પટેલ, મધુ રાય, મહેન્દ્ર મેેેેઘાણી, માનસિંહ માંગરોલા, રજનીકુમાર પંડ્યા, રતિલાલ 'અનિલ', રતિલાલ ચંદરયા, રતિલાલ બોરીસાગર, રમણલાલ મહેતા, રમેશ ઠાકર, રુસ્વા મઝલૂમી, વનરાજ ભાટિયા, વિનોદ ભટ્ટ, વૃન્દાવન સોલંકી, હકુ શાહ...અને બે વિશિષ્ટ પાત્રો કૃષ્ણદેવ આર્ય, ડાહીબહેન પરમાર
સાઇઝઃ 8.5″ X 5.5″ પાનાં : 320 ₹ 325 (Hard Copy) (ભારતભરમાં પોસ્ટેજ ફ્રી)