ઇન્દ્રિયાતીત અનુભવ, અપરમાનસ દ્વારા સર્જાયેલી કોઈ ઘટના, તર્કથી પામી ન શકાય તેવી કોઈ અનુભૂતિ, ભવિષ્યમાં બનનારા બનાવની આગાહી કે પછી ભૂતકાળમાં બનેલા બનાવનું પુનઃદર્શન જેવા અનુભવો દ્વારા પ્રેરાઈને અનેક લેખકોએ વિવિધ પ્રકાર અને સ્તરની નવલકથા કે નવલિકાઓ લખી છે. જેમ જેમ વૈજ્ઞાનિક દર્શન વિકાસ પામતું ગયું તેમ તેમ આ કથાઓમાં તર્કનું નિરૂપણ થતું ગયું. તેમ છતાં તેમાં રોમાંચનો ભાવ તેનો તે જ રહ્યો. 'આયનો' એક એવી જ કથા છે.
'સાર્થક પ્રકાશન' અંતર્ગત પહેલી વાર પ્રકાશિત થયેલી નવી આવૃત્તિની વિશેષતા ~ આંખને જરાય તકલીફ ન પડે એવા અક્ષરો, પ્રિન્ટિંગ અને કાગળ સાથે એકદમ રીડર-ફ્રૅન્ડલી સ્વરૂપમાં ~ અશ્વિનીભાઈની પસંદગી ધ્યાનમાં રાખીને કરાયેલાં ડીઝાઈન, લે-આઉટ અને મુખપૃષ્ઠ ~ અશ્વિનીભાઈનાં પત્ની નીતિ ભટ્ટ અને પુત્ર નીલ ભટ્ટ સાથે મળીને અપૂર્વ આશરે તૈયાર કરેલું, નાનીમોટી ચૂકો અને વિસંગતિઓ ગાળી નાખ્યા પછીનું સૌથી આધારભૂત લખાણ ~ સાઇઝ, ડીઝાઇન અને દેખાવમાં વૈવિધ્ય છતાં એકસૂત્રતા
કુલ કિંમત: Rs.180ને બદલે Rs.160 (પોસ્ટેજ સાથે) (10 % ડિસ્કાઉન્ટ)