'મને અવિરત પ્રવાસી થવાની આકાંક્ષા દિવસ-રાત કોરી ખાય છે, અેટલે જ્યારે પણ મોકો મળે છે ત્યારે ચાર દીવાલોથી ભાગી છૂટું છું. મહારાષ્ટ્રમાં મને ફરવાની અજબ તક મળેલી. લગભગ એક વર્ષ સુધી રોજેરોજ પચાસથી સો કિલોમીટર ફરવાનું થતું. એ અરસામાં 'લજ્જા સન્યાલ'એ આકાર લીધો. ખંડાલા, ભીમશંકર અને મંચરની ઘાટીઓમાં ફરતાં ફરતાં એ આકારમાંથી સ્પષ્ટ પ્રતિમા ઊપસતી ગઈ અને પછી બીજાં પાત્રો પ્રવેશતાં ગયાં.’
'સાર્થક પ્રકાશન' અંતર્ગત પહેલી વાર પ્રકાશિત થયેલી નવી આવૃત્તિની વિશેષતા ~ આંખને જરાય તકલીફ ન પડે એવા અક્ષરો, પ્રિન્ટિંગ અને કાગળ સાથે એકદમ રીડર-ફ્રૅન્ડલી સ્વરૂપમાં ~ અશ્વિનીભાઈની પસંદગી ધ્યાનમાં રાખીને કરાયેલાં ડીઝાઈન, લે-આઉટ અને મુખપૃષ્ઠ ~ અશ્વિનીભાઈનાં પત્ની નીતિ ભટ્ટ અને પુત્ર નીલ ભટ્ટ સાથે મળીને અપૂર્વ આશરે તૈયાર કરેલું, નાનીમોટી ચૂકો અને વિસંગતિઓ ગાળી નાખ્યા પછીનું સૌથી આધારભૂત લખાણ ~ સાઇઝ, ડીઝાઇન અને દેખાવમાં વૈવિધ્ય છતાં એકસૂત્રતા
કુલ કિંમત: Rs.225ને બદલે Rs.200 (પોસ્ટેજ સાથે) (10 % ડિસ્કાઉન્ટ)