ગુજરાત અને મહારાષ્ટ્ર ૧૯૬૦માં અલગ થયાં ત્યારે ગુજરાતે સ્વૈચ્છિક દારૂબંધી સ્વીકારી હતી. હતી.પણ ગુજરાતની નિષ્ફળ દારૂબંધીને કારણે ગુજરાતમાં અનેક લતીફોના જન્મ થયા છે અને થતા રહે છે. આવા ગેંગસ્ટરો ક્યારે પોલીસ, રાજકીય નેતાઓ અને સંજોગોની મદદ વગર કદ કરતાં મોટા થઈ શકતા નથી. લતીફનો સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને આવાં પરિબળોને આભારી હતાં. લતીફની સ્ટોરી માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી. ગુજરાતના એ સમયગાળાના રાજકારણ, પોલીસકારણ, અર્થકારણ અને સમાજકારણની સ્ટોરી પણ છે.